‘કાવ્ય-આચમન’ શ્રેણી
યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર : સંપાદકો
વીસમી સદીના પ્રશિષ્ટ કવિઓનાં ચૂંટેલાં કાવ્યોનું eBook થકી આચમન કરાવતી ‘કાવ્ય-આચમન’ શ્રેણી પાંચેક સંપુટમાં પ્રગટ થશે; દરેક સંપુટમાં દસ કવિઓ. આ શ્રેણીનું સંપાદન યોગેશ જોષી તથા ઊર્મિલા ઠાકર કરી રહ્યાં છે. દરેક પુસ્તકમાં કવિનો પરિચય તથા એમનાં કાવ્યો વિશે આસ્વાદમૂલક આલેખ પણ પ્રગટ થશે. આ શ્રેણીના પહેલા સંપુટમાં દસ કવિઓની eBook પ્રગટ થશે. આ કવિઓ છે —
- સુન્દરમ્
- નિરંજન ભગત
- પ્રિયકાન્ત મણિયાર
- ઉશનસ્
- જયન્ત પાઠક
- ચંદ્રકાન્ત શેઠ
- રમેશ પારેખ
- બાલમુકુન્દ દવે
- ઝવેરચંદ મેઘાણી
- નલિન રાવળ
- ન્હાનાલાલ
- ઉમાશંકર જોશી
- રાજેન્દ્ર શાહ
- પ્રહ્લાદ પારેખ
- લાભશંકર ઠાકર
- રાવજી પટેલ
- ચિનુ મોદી
- વેણીભાઈ પુરોહિત
- મનહર મોદી
- હરિકૃષ્ણ પાઠક
- મકરન્દ દવે
- શૂન્ય પાલનપુરી
- માધવ રામાનુજ
- હરીન્દ્ર દવે
- પન્ના નાયક
- ગુલામમોહમ્મદ શેખ
- હસમુખ પાઠક
- કૃષ્ણલાલ શ્રીધરાણી
- રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’
યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર : સંપાદકો
યોગેશ જોષી (૧૯૫૫) બી.એસ.એન.એલ.માંથી ડેપ્યુટી જનરલ મૅનેજર તરીકે નિવૃત્ત થયા. નર્મદ સુવર્ણચંદ્રક, ધનજી કાનજી સુવર્ણચંદ્રકથી તેઓ સન્માનિત છે. કવિતા, નિબંધ, વાર્તા, નવલકથા, ચરિત્ર, સંસ્મરણ, અનુવાદ, સંપાદન તથા બાળસાહિત્યનાં તેમનાં લગભગ ૬૦ પુસ્તકો છે. તેઓ ૧૮ વર્ષ ‘પરબ’ના સંપાદક રહ્યા. દસેક વર્ષ તેમણે ‘વિશ્વમાનવ’ના સાહિત્યવિભાગનું સંપાદન સંભાળ્યું હતું.
ઊર્મિલા ઠાકર (૧૯૫૨) ગ્રંથાલયશાસ્ત્રનાં વિદુષી હોવા સાથે કવિતાનાં વ્યાસંગી છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાંથી ગ્રંથાલય અને માહિતી-વિજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ અને પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયાં. ૨૦૧૯થી તેઓ ગુજરાત વિશ્વકોશમાં સેવાઓ આપે છે. તેમણે એમિરિટ્સ (Emeritus) પ્રોફેસર તરીકે પણ સેવા આપી છે. તેમણે ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનનાં આઠ પુસ્તકો આપ્યાં છે. કવિતા અને વાર્તાનાં સંપાદનો પણ તેમની પાસેથી મળ્યાં છે.